૱ સુવઁણ્ ૱
સોનુ સૌથી વધુ સુંદર અને કિંમતી ધાતુ તત્વ છે.૧૦૦% શુધ્ધ સોનુ ૧૦૦ ટચ અથવા ૨૪ કેરેટ નુ કહેવાય છે.સોનુ જ એક અમર ધાતુ છે , જેને કદી કાટ લાગતો નથી ,કદી સડતુ નથી , કોઇ રીતે નાશ થતો નથી. સોનુ જે ૧૯૨૧ મા ૨૧ રૂ. ૧૦ગ્રામ હતુ તે આજે ૧૩૦૦૦રૂ. પર પહોચી ગયુ છે.
સોના નો સૌથી વધુ ઉપયોગ આભુષણો નહી પણ ચલણ ના પીઠબળ તરીકે સરકારી તિજોરીમાં સંઘરવામાં થાય છે.
હજારો વષૅથી સોનુ મનુષ્ય ને ખાસ કરીને સ્ત્રીઓ ને મુગ્ધ કરતું આવ્યુ છે. પ્રાચીન ઐતિહાસિક ઇમારતો ને પણ સોનાનો ઢોળ ચડાવવામા આવે છે. આપણા દેશમાં અમ્રતસરમાં સુવણૅ મન્દિર તેનુ ઉદાહરણ છે. ઘણા હિન્દુ મન્દિરોના શિખર પર સોનાના ઢોળવાળા કળશ હોય છે.
ઇતિહાસ મુજબ આશરે ૩૦૦૦વર્ષ પુર્વે સોના ની શોધ થઇ હોવાનુ જણાય છે અને ત્યાર થી જ સોના ને એક પ્રવિત્ર ધાતુ ના રુપ મા સ્વીકાર કરવામા આવી છે એટલે જ આપણા સમાજ મા રજપુતાણી કે રાણીઓ સિવાય કોઇ સામાન્ય સ્ત્રી સોના ને પોતાના પગ મા ધારણ કરતી નથી.
આભુષણો માત્ર સુન્દરતા મા વધારો કરતા નથી આભુષણો થી વ્યક્તિ ના સામાજિક સ્તર વિશે તેના વૈભવ વિશે તેની સંપતિ વિશે આંકી શકાય છે તેમજ તેની બનાવટ પર થી તેની કારીગરી નો પણ માપદંડ કાઢી શકાય છે.
સોના ની નોંધપાત્ર પ્રકુતિ તેની વિધૂત સુવાહકતા છે જે ૭૧% જેટલી ઉંચી છે તેથી ઉધ્યોગ મા પણ વપરાય છે.કાટ ન લાગવાના કારણે વિજાણુ અને વીજઉધ્યોગ મા,સંરક્ષણ ઉધ્યોગ માં,અવકાશ માટે ના અતિ સૂક્ષ્મગ્રાહી સાધનો મા પુષ્કળ સોનુ વપરાય છે.તે ઇંફ્રારેડ કીરણો ને ૯૮ ટકા પ્રતિબિમ્બિત કરી શકે છે, તેથી અવકાશયાનો માં વપરાય છે.જો ગરમી ના ઇંફ્રારેડ કિરણો ને પ્રતિબિમ્બિત કરી અવકાશ મા પાછા મોક્લી દેવામા ના આવે તો અવકાશયાન મા ગરમી અસહ્ય બની જાય તે માટે ૧ ઇંચ ના ૦.૦૦૦૦૨૫ થી ૦.૦૦૦૦૦૫ મા ભાગ ની જાડાઇ ધરાવતા સોના ના પડ નો ઉપયોગ કરવામા આવે છે.તે સુર્ય ના બીજા હાનીકારક કિરણો જેવા કે અલ્ટ્રાવાયોલેટ કીરણો સામે પણ રક્ષણ આપે છે. રસાયણ ઉધ્યોગ મા પણ સોના નો ઉપયોગ થાય છે.
સોનુ પોચી ધાતુ છે.હીરા ના કઠણપણા નો આંક ૧૦ ગણીએ તો સોના નો ૨.૫ થી ૩ છે.ધનતા પાણી કરતાં ૧૮.૮૮ ગણી છે.તેને પીગળવા માટે ૧૦૬૩સે. ઉષ્ણતામાન અને ઉકળવા માટે ૨૯૭૦સે. જોઇએ.
સોના ને ટીપી ને બહુ પાતળા વરખ બનાવી શકાય છે.
મે મારી જાણકારી મુજબ ઉપર ની માહીતિ અહી મુકી છે. આશા રાખુ આપ સૌ ને ગમશે.હવે પછી કયા દાગીના પહેરવાથી કયા ફાયદા થાય એ જાણશુ.
Recent Comments